ધોરાજી : તંત્ર દ્વારા કરાયેલ રોડ રસ્તાઓની કામગીરીને લઇ લોકોમાં રોષ

રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકાના વોર્ડ નં પાંચ માં અને વઘાસીયા ફરી માં રસ્તા ઓ પર ડામર પાલીશ રસ્તા પર લગાડવામાં આવ્યુ પણ લોકો ની દિવાલ તથા ઓટલા અને દરવાજા પર ડામર ની છાંટ લાગી જતાં લોકોમાં રોષ જોવાં મળ્યો
ધોરાજી નાં વોર્ડ નં પાંચ અને વઘાસીયા ફરી માં તંત્ર દ્વારા રોડ રસ્તા ઓને લઈને કામગીરી કરવામાં આવેલ છે પણ લોકો નાં ઘર ની દિવાલો ઓટલા પર અને દરવાજા પર પણ ડામર પાલીશ ની છાંટ લાગી જતાં લોકો અને મહીલા ઓ માં રોષ વ્યાપી ગયો છે કારણકે ડામર કે છાંટ ની કામગીરી રસ્તા ઓ પર થવી જોઈએ પણ કોન્ટ્રાક્ટર અને કામ કરતાં લોકો તથા તંત્ર ની બેદરકારી જોવાં મળી હતી જેથી સ્થાનિક લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો હતો આ બાબતે સ્થાનિક મહીલા ઓ નાં જણાવ્યા અનુસાર સ્થાનિક સુધરાઈ સભ્ય ને ત્યા રજુઆત કરવામાં આવી હતી પણ તે લોકો એ હાથ ઉંચા કરી દીધા હતા જેથી મહીલા ઓ માં રોષ જોવાં મળ્યો હતો