નવસારી : દાંડી યાત્રાને યાદગાર બનાવવા રેલવે સ્ટેશનને સજાવવામાં આવ્યું

દાંડી યાત્રાને યાદગાર બનાવવા નવસારી રેલવે સ્ટેશનને સજાવવામાં આવ્યું,હતું અને ગાંધીજીના ચિત્રો અને કથન દીવાલો પર દોરવામાં આવ્યા રેલવેની 20 સભ્યોની ટીમ મુંબઈથી નવસારી આવીને દાંડી યાત્રામાં જોડાશે
નવસારી રેલવે સ્ટેશનને સજાવવામાં આવ્યું છે. જેમાં આગામી ચોથી એપ્રિલે દાંડી યાત્રા દાંડી તરફ જવા રવાના થશે. જેમાં વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ મેનેજર જી.વી.એલ સત્યપ્રકાશ પણ શિવાજી ચોકથી પદયાત્રામાં જોડાશે. તેવી માહિતી નવસારી રેલવે સ્ટેશન મેનેજર દ્વારા આપવામાં આવી છે.
રેલવે સ્ટેશન પરિસરમાં સતત વૈષ્ણવજન સહિત દેશભક્તિના ગીત વગાડવામાં આવશે
આ દાંડીયાત્રાને યાદગાર બનાવવા માટે વેસ્ટન રેલવેએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. અને નવસારી રેલવે સ્ટેશનને ગાંધીમય બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે. જેમાં રેલવે સ્ટેશનની તમામ દિવાલ ઉપર ગાંધીજીના કથનના ચિત્રો દોરવામાં આવ્યા છે. સાથે જ રેલવે સ્ટેશન પરિસરમાં સતત વૈષ્ણવજન સહિત દેશભક્તિના ગીત વગાડવામાં આવશે.
દાંડીયાત્રા વિજલપુર રેલવે ફાટકથી પસાર થવાની છે.
જેને લઇને બે દિવસથી રેલવે ફાટકનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રાફિક ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. તથા દાંડીયાત્રામાં કોઇપણ કચાશ ન રહે તે માટે ખાસ રેલવેની 20 સભ્યોની ટીમ મુંબઈથી નવસારી આવીને દાંડી યાત્રામાં જોડાશે.