પંચમહાલ : નિરંકારી સત્સંગ ભવન ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

પંચમહાલ : પંચમહાલ જિલ્લા આરોગ્ય અને સંત નિરંકારી મિશન ગોધરા બ્રાંચના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ દ્વારા ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે કોરોના રસીકરણ સેન્ટર જેમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના તમામ માટે આ કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી અને ગોધરા નિરંકારી બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીજી નિરંકારીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ડોક્ટરની ટીમ પણ હાજર રહી હતી.
દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી એ જણાવ્યું કે સંત નિરંકારી મિશન સમાજ સેવાના કાર્યો માટે હર-હમેંશ તત્પર હોય છે આજે પણ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ આજથી કોરોના રસીકરણ સેન્ટર ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે રોજના ૨૦૦ જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવશે. આ રસી માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન નોંધાવી શકશે.આ સેન્ટર સરકારના વખતો વખતના આદેશ અનુસાર કાર્યરત રહેશે.