બેન્ક અને ફાયનાન્શિયલ કંપની જેવા ટોલ ફ્રી નંબરથી થતી છેતરપિંડી માટે RBI એ જાહેર કરી એડવાઈઝરી

બેન્ક અને ફાયનાન્શિયલ કંપની જેવા ટોલ ફ્રી નંબરથી થતી છેતરપિંડી માટે RBI એ જાહેર કરી એડવાઈઝરી

RBI એ બેંકના ટોલ ફ્રી જેવા મોબાઈલ નંબરથી થતી છેતરપિંડીને લઈને ચેતવણી જાહેર કરી છે. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ RBIના કેન્દ્રીય સાયબર સુરક્ષા અને આઈટી રિસ્ક ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરીને પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કર્યા છે. આ એડવાઈઝરી અનુસાર સાઈબર અપરાધી બેંકના ટોલ ફ્રી નંબર જેવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. RBI અનુસાર સાઈબર અપરાધી બેંકના ટોલ ફ્રી નંબર સાથે મળતા નંબરથી લઈને તેને ટ્રૂ કોલર જેવા એપ પર કોઈપણ બેંક કે ફાયનાન્શિયલ કંપનીના નામે રજિસ્ટર કરાવી લે છે. જ્યારે તમે નંબરને ટ્રૂ કોલર પર ચેક કરો છો કે પછી તેની મદદથી કોલ કરો છો તો તમે તરત જ દગાખોરીનો શિકાર અજાણતા બની જાઓ છો. સાયબર ક્રાઇમના અપરાધી દગો કરવા માટે કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપનીના ટોલ ફ્રી નંબર 1800 123 1234 જેવો જ ખોટો નંબર 800 123 1234 મેળવી લે છે. ત્યારપછી તેને ટ્રૂ કોલર કે અન્ય કોઈ એપ્લીકેશન ઉપર બેંક કે ફાયનાન્શિયલ કંપનીના નામે રજિસ્ટર્ડ કરાવી લે છે. તેવામાં જો તમે બેંક કે ફાયનાન્શિયલ કંપની ઉપર ટ્રૂ કોલરની મદદથી ફોન કરો છો તો અનેકવાર તે ફોન સાઈબર ક્રાઇમના અપરાધીને લાગે છે અને તેઓ તમારી જાણકારી તમારી પાસેથી પ્રાપ્ત કરીને સાયબર ક્રાઇમની ઘટનાઓેને અંજામ આપે છે. જ્યારે પણ તમને કોઈ બેંક કે ફાયનાન્શિયલ કંપનીને ફોન કરવા જાવ છો તો તેના ટોલ ફ્રી નંબરની સંપૂર્ણ જાણકારી તમારી પાસે હોય તે જરૂરી છે. તમે કોઈ પણ બેંકના ટોલ ફ્રી નંબર ઉપર તમારી જાણકારી માંગવામાં આવે તો તેને ભૂલથી પણ શેર ન કરો