ભાવનગર : ગુજરાતી ફિલ્મ 'જીવન આખ્યાન' આગામી ૨૨ ઓક્ટોબરે થશે રિલીઝ

ભાવનગર ના પ્રોડક્શન હાઉસે લોકડાઉન ના સમયમાં નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ 'જીવન આખ્યાન' આગામી ૨૨ ઓક્ટોબરે રિલીઝ થનાર છે 'જીવન આખ્યાન' ફિલ્મ અંગે ભાવનગર ના ગોરસ રેસ્ટોરન્ટ ખાતે યોજવામાં આવેલ પત્રસર પરિષદમાં તૃપ્તિ જાંબુચા , વિપુલ જાંબુચા , ભાવેશ નાયક , યશરાજ જાંબુચા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.
આ ફિલ્મ વિશે વિપુલ જાંબુચા એ માહિતી આપી હતી.
કોરોના લોકડાઉન દરમિયાન નિર્માણ થયેલી ગુજરાતી પારિવારિક ફિલ્મમાં ભાવનગર ના કલાકારો એ અભિનય આપ્યો છે તેમજ મોટા ભાગ નું શૂટિંગ પણ ભાવનગર ના લોકેશન ઉપર જ કરવામાં આવેલ છે