મોરબી : ગાડી લોડીંગ કરવા બાબતે માથાકૂટ આધેડની છરીના ઘા ઝીંકી હત્યા

 માળિયાના નવલખી પોર્ટ ખાતે ગાડી લોડીંગ કરવાબાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકીહત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે પોલીસે ત્રણ ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધીતપાસ ચલાવતા ત્રણેયને પોલીસ ઝડપી પાડ્યા છે મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગબોર્ડમાં રહેતા કિરીટસિંહ ભગવતસિંહ જાડેજા પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા નવલખીપોર્ટ ખાતે વાસુકી કોલમાં લોડીંગ કામ સંભાળતા હોય જેમાં આરોપી મયુરસિંહ વેલુભાજાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે લોડીંગ કરવા બાબતે ફોનમાં માથાકૂટ કરીગાળાગાળી કરી તકરાર કરી હોય જેનું મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના કહેવાથી આરોપીસૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્શે છરી વડે પેટના ભાગે તેમજ વાંસાના ભાગેચાર જીવલેણ ઘા મારી મોત નીપજાવ્યું છે માળિયા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ હત્યાનોગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણેય આરોપીઓ અલગ અલગ ગામમાં નાસ્તા ફરતા હોયજેથી પોલીસે ત્રણેયને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે