મોરબી : વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું રોકવા વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મોરબીના હોલસેલ વેપારી એસો દ્વારા બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે જેમાં આજે મોરબીના હોલ સેલ વેપારની તમામ દુકાનો બંધ જોવા મળી હતી.
મોરબી ખાધતેલ વેપારી એસો અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસો તેમજ જથ્થાબંધ અનાજ કરીયાણાના વેપારીઓએ કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે દુકાનો બપોરે 2 સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે જે મુજબ આજથી બપોરે 2 સુધી દુકાનો ખુલી રહેશે અને બપોર બાદ વેપારીઓ બંધ પાળશે.બપોરના ૨ વાગ્યા બાદ બંધને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને ૧૫૦ જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બપોરના ૨ વાગ્યા બાદ બંધ કરી હતી. જોકે અનાજ કરીયાણા છૂટક વેપારીઓ હજુ આંશિક બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જોકે હજુ સુધી લોકડાઉન અંગે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે વેપારીઓએ સ્વૈચ્છિક આંશિક બંધનો નિર્ણય કર્યો છે અને મોરબીને સુરક્ષિત રાખવા પોતાની જવાબદારી નિભાવવા તેઓ આગળ આવ્યા છે