માળિયાના મોટા દહીંસરા ગામે સગીરની હત્યાના બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં હત્યા કરનાર બે ઇસમોને દબોચી લેવાયા છે તો સગીરની હત્યા પ્રેમ સંબંધ મામલે થયાનો ખુલાસો થવા પામ્યો છે
માળિયાના મોટા દહીંસરા ગામે લાલા વલ્લભ દેલવાણીયા (ઉ.વ.૧૭) નામના સગીરની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જેનો મૃતદેહ મોટા દહીંસરા ગામના તળાવ પાસેથી મળી આવ્યો હતો જે બનાવ માળિયા પોલીસની ટીમ તપાસમાં હોય દરમીયાન પ્રેમસંબંધને કારણે બનાવ બન્યાનું ખુલ્યું હતું જેમાં મૃતકને રમેશભાઈ પોપટભાઈ પરમારની દીકરી સાથે પ્રેમસંબંધ હોય અને મોટા દહીંસરા ગામે દેવીપુજક સમાજનો ધાર્મિક પ્રસંગ હોય જ્યાં વધુ લોકોની ભીડ હોવાનો લાભ લઈને રમેશ પરમારનો દીકરો હરદેવ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ પોપટભાઈ પરમાર અને કરણ ઉર્ફે કાનો રણજીત પરમારએ હત્યાને અંજામ આપ્યો હોય જે બંનેની સઘન પૂછપરછ કરતા ગુન્હાની કબુલાત આપી હતી અને મૃતકને માથામાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું હતું જેથી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી તપાસ ચલાવી છે