માળીયાહાટીના : ભારે વરસાદના કારણે વ્રજમી નદીનો બેઠો પુલ ધોવાયો

માળીયાહાટીનાના અમરાપુર ગામે ભારે વરસાદના કારણે વ્રજમી નદીનો બેઠો પુલ ધોવાતાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદ પડતા તાલુકા ની નદીઓ ગાડી તુર બનતા તારાજીના દૃશ્યો સામે આવ્યા છે ત્યારે ભારે વરસાદના પગલે રોડ રસ્તા પુલો ધોવાયા હોવાના અહેવાલો વરસાદે વિરામ લેતા મળી રહ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે વ્રજમી નદી ઉપર આવેલ બેઠો પુલ પૂરના ધસમસતા પાણીએ ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે માળીયાહાટીના તરફ જવા માટે વૃજમી નદીનો પુલ ધોવાતાં રસ્તો ડાયવર્ટ કરી બાયપાસ બે કિલોમીટર દૂર કરવું પડે છે બીજી તરફ તે વિસ્તારમાં આવતા ખેડૂતોને પણ તેમને વાડી વિસ્તારમાં જવા માટે બે કિલોમીટર ફરીને જવું પડે છે તંત્ર દ્વારા વ્રજમી નદી ઉપરના બેઠા પુલનું સમારકામ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવા ગામ લોકોની માંગ છે