મહીસાગર : વરધરા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી આવી

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વરધરા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી આવી હતી. કેનાલમા લાશની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળેએ દોડી આવ્યા હતા.
વિરપુર તાલુકાના વરધરા ગામે સુજલામ સુફલામ કેનાલમાંથી એક મહીલાની લાશ મળી આવી હતી.
સુજલામ સુફલામ કેનાલમાં સવારે દસ વાગ્યાની આસપાસ એક મહિલાની લાશ કેનાલમાં જોવા મળતા આજુબાજુના ગામડાઓના લોકો લાશને જોવા માટે સુજલામ સુફલામ કેનાલ પાસે ઉમટયા હતા.
સ્થાનિક લોકો દ્વારા વિરપુર પોલીસને જાણ કરવામાં આવતા વિરપુર પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને તરવૈયાની મદદથી લાશને કેનાલમાંથી કાઢીને પી.એમ.માટે વિરપુર પી. એચ. સી. ખાતે મોકલવામાં આવી હતી.