વાઘોડિયા : આમોદર પાસે અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું મોત

વાઘોડિયા પારૂલયુનિવર્સીટીમા ફિઝીયોથેરાપીમા અભ્યાસ કરતી વિધ્યાર્થીનીને સુમનદિપ વિધ્યાપીઠના તબીબ વિધ્યાર્થીએ કારની ટક્કરે મોત નિપજાવ્યુ.
વાઘોડિયા પારૂલ યુનિવર્સીટીમા ફિઝીયોથેરાપી મા અભ્યાસ કરતી હર્શીતા મનીચંદ્રા વેન્ટાંપ્રગરડા(23) ઈસ્ટ ગોદાવરી( આંધ્રપ્રદેશ)ની સાંઈકુમાર રેડ્ડી તુમાટી (19) તેલંગાણા સાથે ડિઓ મોપેડ પર પાછળ બેસી વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આમોદર પાસે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ શ્યામલ કાઊન્ટી પાસેના પેટ્રોલપંપ નજીક પાછળથી પુરપાટ ઝડપે કાર હંકારી આવતા સુમનદિપના એમબીબીએસના વિધ્યાર્થી પ્રાથ્વીકે આગળ જતા ડિઓ ચાલકને જોરદાર ટક્કર મારતા વિધ્યાર્થીની સહિત મોપેડ ચાલક રોડપર દુર સુઘી ફેંકાઈ જતા લોહિલુહાણ થયા હતા. જેમા વિધ્યાર્થીની હર્ષીતાનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ. જયારે સાંઈરામને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તબીબી વિધ્યાર્થીની કાર અકસ્માત સર્જી રોડપરથી ઊતરી પેટ્રોલપંપની બાજુના થાંભલામા ટકરાતા તબીબી વિધ્યાર્થી પણ ગંભીર રિતે ઘવાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવી ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા.વડોદરા ખાનગી હોસ્પીટલમા સારવાર લેતા ડિઓ ચાલક સાંઈરામ અને કાર ચાલક પ્રાથ્વીકની સ્થીતી ગંભીર છે. સમગ્ર અકસ્માતના CCTV ફુટેજ સામે આવતા પોલીસે ફરીયાદના આઘારે તપાસ આરંભી છે.