સાંતલપુર : ઝઝામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના રસીકરણ કરાયું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના ઝઝામ પી.અચ.સી દ્વારા કોરોના વેક્સિન સેશન કરવામાં આવ્યું
સાંતલપુર તાલુકાના ઝઝામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલમાં ચાલતા કોરોના મહામારી થી બચવા માટે કોરોના વેક્સિન સેશન કરવામાં આવ્યું હતું જેમાં ઝઝામ, કિલાણા , વરનોશરી, જામવાડા વગેરે ગામમાં રસી મૂકવામાં આવું હતી
સાંતલપુર તાલુકાના માજી ઉપપ્રમુખ શ્રી અણદુભા જાડેજા તથા ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ શ્રી કરશનજી જાડેજા એમને પણ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો અને ગામની તમમા લોકો ને રસી લેવા અપીલ કરવામાં આવી.
પી.એચ.સી ના ડોકટર શ્રી તથા સ્ટાફ દ્વારા પી.એચ.સી લાગતાં તમામ ગામમાં ઘરે ઘરે જઈ કોરોના રસી અને કોવિડ કીટ કરવામાં આવી રહી છે
હાલમાં ચાલતા કોરોના મહામારી ના પગલે ઝઝામ ગામમાં સહકાર શ્રી આદેશ અનુસાર દિવસ ના 12 વાગ્યા પછી સ્વેસિક લોકડાઉન પણ રાખવામાં આવ્યું છે