સુરત : 66 વર્ષના નિરંજના અમદાવાદીએ 11 દિવસમાં કોરોનાથી સાજા થયા

બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરને મ્હાત આપનાર 66 વર્ષના નિરંજના અમદાવાદીએ 11 દિવસમાં કોરોનાથી સાજા થયા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મેટ્રન નર્સ તરીકે રિટાયર્ડ થયેલા વ્યારાના નિરંજનાબેન અમદાવાદીના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલા અને દેરાણીનું બે દિવસ પહેલા કોરોનામાં અવસાન થયું હતું. આવી દુખની ઘડી વચ્ચે 66 વર્ષીય નિરંજનાબહેને કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તાપી જિલ્લાના વ્યારાના રાજનગર ખાતે રહેતા અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2013 માં મેટ્રન નર્સ તરીકેની 30 વર્ષથી વધુની સેવા બજાવીને નિવૃત્ત થયેલા નિરંજનાબેન અમદાવાદીએ શહેરમાં પ્લેગ, ભુંકપ, પુર જેવી અનેક આફતો વચ્ચે દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહ્યા હતા. વ્યારા જેવા નાના ટાઉનમાંથી આવતા નિરંજનાબહેને આદિવાસી સમાજની 150 થી વધુ દીકરીઓને નર્સીંગક્ષેત્રે લાવવામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. કોરોનાને પરાસ્ત કરવા માટે દવાની સાથે મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર પણ હોવો જરૂરી છે. આવા જ એક વ્યારાના મહિલા દર્દી નિરંજનાબેન અમદાવાદીએ 11 દિવસની સારવારના અંતે નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી હતી. પોતાના પતિ ઈમાન નિયલનું પાંચ દિવસ પહેલાં અને દેરાણીનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. આવી દુખની ઘડી વચ્ચે નિરંજનાબહેને કોરોથી સ્વસ્થ થયા હતા.
તા.21 મી એપ્રિલના રોજ વ્યારા ખાતે સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ આવતા સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ચાર દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરીને 15 લિટર ઓકિસજન સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં ડો.અશ્વિન વસાવા તથા તેમની ડોકટરી ટીમની રાત-દિવસની મહેનતના કારણે આ શકય બન્યું છે.