સુરત : આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને T.R.B જવાનોએ બચાવી લીધો

રીંગરોડ ખાતે આવેલ રોહિત માર્કેટ પાસે ફ્લાય ઓવર બ્રિજ પર ચઢી ત્યાંથી આપઘાતનો પ્રયાસ કરનારને ટી.આર.બી. જવાનોએ સમયસર પહોંચી બચાવી લીધો હતો.
સુરતમાં હાલ આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના રીંગરોડ ખાતે આવેલ ફ્લાય ઓવર બ્રિજ પર એક યુવાન આપઘાત કરવા પહોંચ્યો હતો. જે અંગેની જાણ રીંગરોડ પર આવેલ રોહિત માર્કેટ પાસે ફરજ બજાવી રહેલા ટી.આર.બી. જવાન રોહિતભાઈ સાગરભાઈ તથા હિતેશભાઈ અને ભાવાભાઈનાઓએ ત્યાં પહોંચી યુવાનને સમજાવ્યો હતો. અને સમજદારીપુર્વક કામ લઈ યુવાનને બ્રિજ પરથી નિચે ઉતારી તેનો જીવ બચાવી લીધો હતો.
હાલ તો ટીઆરબી જવાન સહિતનાઓની સમજદારીએ એક યુવાનને આપઘાત કરતા બચાવી લેતા તેઓની આ કામગીરીને લોકોએ પણ વધાવી લીધી હતી.