સુરત : કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ ઝડપાયો

પાંડેસરા પોલીસ મથકની હદમાં કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લામાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી બે વર્ષ અગાઉ 17 વર્ષિય કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ એવા વિકાસ ઉર્ફે દશરથ પ્રકાશભાઈ સાળુંકેને મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના અડાવદ ગામમાંથી ઝડપી પાડ્યો હતો. તો બે વર્ષ અગાઉ નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ પકડવા ગઈ હતી ત્યારે કિશોરીને ત્યાં જ મુકી ભાગી છુટ્યો હતો. હાલ તો નરાધમને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપ્યો હતો.