સુરત : બિનવારસી દર્દીનું મોત નિપજતા આપના કોર્પોરેટર દ્વારા અંતિમ સંસ્કાર કરાયું

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બિનવારસી દર્દીનું મોત નિપજ્યું હોવાનો કોલ મળતા જ આપના કોર્પોરેટર દ્વારા કાર્યકરો સાથે સિવિલમાં પહોંચી લાશને સ્મશાને લઈ જઈ અંતિમ સંસ્કાર કર્યુ હતુ જ્યારે બાળકને શાહનુભુતિ આપી હતી.
સુરતમાં કોરોનાને લઈ રોજેરોજ માનવતાના દર્શન થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને ગત રોજ સિવિલ હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો જેમાં એક નાનકડા બાળકના પિતાનું મોત નિપજ્યુ હોય અને તેના પરિવારમાં કોઈ ન હોવાનું જણાવતા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અન્ય કાર્યકરો સાથે સિવિલ પહોંચી ગયા હતા અને નાના બાળકને લઈ તેના પિતાના મૃતદેહને લઈ સ્મશાને પહોંચી અગ્નિદાહ આપી બાળકને કોઈ પણ જરૂરિયાત હોય તેમનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.
હાલ કોરોના કાળમાં લોકો સગા-સંબંધીઓને પણ અગ્નિદાહ આપતા નથી ત્યારે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા દ્વારા કરાયેલી કામગીરી સરાહનીય છે.