સુરત : રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક વૃદ્ધાએ પડતુ મુકી કર્યો આપઘાત

કતારગામ ખાતે આવેલ કંથારીયા હનુમાન મંદિર પાછળ આવેલ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક વૃદ્ધાએ પડતુ મુકી આપઘાત કરી લેતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
સ્થળ પરથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આવેલ કંથારીયા હનુમાન મંદિર પાછળના રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ પોતાના મકાનના ત્રીજા માળેથી બુધવારે સવારના સમયે અચાનક પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. વૃદ્ધાએ આપઘાત કરી લેતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. વૃદ્ધાએ આપઘાત કરતા આસપાસના મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી ગયા હતાં.