સુરત : શ્રી રામજી મંદિરના જીણોધ્ધારનું આયોજન હાથ ધરાયું

શ્રી રામકૃષ્ણ મહામંડલ સેવા કેન્દ્ર અને મોટા ગૌડીયા ગોપાલજી મંદિર લાલબાવા અખાડા સુરત દ્વારા આગામી દિવસોમાં મંદિરના જીણોધ્ધારનું આયોજન કરાયુ છે.
અશ્વનીકુમાર રોડ પર શ્રી રામચંદ્રજીનું ઐતિહાસીક મંદિર આવ્યુ છે. આ મંદિરમાં 350 વર્ષ જુની શ્રીરામ ભગવાનની પ્રતિમા બિરાજે છે. આગામી દિવસોમાં મંદિરના જીણોધ્ધારનું આયોજન હાથ ધરાયું છે. ઐતિહાસિક મંદિરના જીણોધ્ધારનું આયોજન હોય મંદિર ટ્રસ્ટની જગ્યા પર થયેલા દબાણો અને બદીઓ દુર કરવામાં આવે તે જરૂરી છે. જીણોધ્ધાર અને તેની માહિતી પત્રકાર પરિષધમાં આપવામાં આવી હતી.
મોટા ગૌડીયા ગોપાલજી મંદિર લાલબાવા અખાડા સુરત દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં.