Palanpur : કરજોડા ગામે હાથરસ જેવી દુષ્કર્મની ઘટના સામે આવી

તંત્ર હવે આંખ આડા કાન કરીને કાર્ય કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
તંત્ર ને આટલા આટલા આવેદન પત્રો, અપીલો કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નહિ તેના કારણે જ હવે નરાધમો બેફામ બન્યા છે. યુપી માં હાથરસ ની જે ઘટના બની હતી તેવી જ ઘટના દાંતીવાડા તાલુકાના ભાખર ગામે પણ બની હતી. અને આજરોજ તેવી જ ઘટના પાલનપુર તાલુકાના કરજોડા ગામે ભારતની દીકરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બસ હવે લોકો ની એક જ માંગ છે કે આવા નરાધમોને ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા ના આપવી જોઈએ . જો તંત્ર આવા આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરે તો હજુ પણ આવા નરાધમો તોફાનો કરવાની શક્યતાઓ છે. તેથી તંત્ર આમ ની સામે કડકમાં કડક સજા કરે તેવી લોકોની માંગ ઉઠી છે. ત્યારે પાલનપુર તાલુકાના કરજોડા ગામે એક પાલક પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હતું. સાવકી પુત્રી પર એક મહિનાથી પાલક પિતા દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદથી મજૂરી કરવા કરજોડા ગામે આવેલો હતો અને આ નરાધમે આવું દુષ્કર્મ આચાર્યું. આ પિતાએ સાવકી પુત્રીને પોતાના હવસનો શિકાર બનાવી. માત્ર ૧૩ વર્ષીય સાથે પુત્રી પર દુષ્કર્મ કરતા પિતા ફરાર થઈ ગયો હતો.ત્યારે પાલનપુર પોલીસે આરોપીને ઝડપી બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. અને ૧૦૮ની ટીમ ની જાણ કરાતા બાળકીને પોલીસના હવાલે કરવામાં આવી હતી. આરોપી નરેશ ઉર્ફે રાકેશભાઈ પ્રમોદભાઈ રાજપૂત છે અને તેમને પોલીસ દ્વારા જેલ માં ધકેલવામાં આવ્યા હતા. ત્યારે પાલનપુર તાલુકા પોલીસે દુષ્કર્મ મામલે આગળ ની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી હતી.