Prantij : યોગેશ્વર સોસાયટીમાં ધોળા દહાડે મકાનમાં તસ્કરો ત્રાટકયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ નેશનલ હાઈવે આઠ ત્રણ રસ્તા ઉપર આવેલ યોગેશ્વર સોસાયટી માં ધોળા દહાડે મકાનમાં તસ્કરો ધુસી સોનાના દાગીના રોકડ રકમ સહિત ની ચોરી કરી પલાય થતાં મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી.
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટી માં રહેતા રમેશભાઇ ધનજીભાઈ પટેલ કે જેવો પોતાના પરિવાર સાથે ઉતરાયણ પર્વ ને લઈને પોતાના પરિવાર સાથે મકાન બંધ કરીને પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં તેમણી દિકરી ના ધરે ગયા હતાં અને તે સમય દરમ્યાન ધોળા દિવસે તસ્કરો દ્વારા રમેશભાઇ પટેલ ના મેન દરવાજા નું તાળું તોડી ને ધર માં ધૂસી ને ધરમા રહેલ તીજોરી ના તાળા તોડી તિજોરી માં રહેલ સોનાની વીટી , સોના નો દોરો તથા બેડ રૂમ માં રહેલ અરમારીના તોડી તેમા રહેલ રોકડ રકમ-૩૦,૦૦૦ સહિત ની ચોરી કરી પલાય થઇ ગયા હતાં તો મકાન માલિક રમેશભાઇ પોતાના પરિવાર સાથે સાંજે ધરે આવતા આગળ નો દરવાજો ખુલ્લો તથા ધર મા તીજોરી તથા બેડરૂમ ની અરમારી નો સામાન વેર વિખેર પડેલ હોય ચોરી થઇ હોવાનું માલુમ પડતા અરમારી મા તપાસ કરતાં રોકડ રકમ તથા તીજોરી મા રહેલ સોના નો દોરો તથા વીંટી ના મળી આવતાં આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ બીટ જમાદાર પ્રણામ ભાઇ સહિત પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથધરી હતી ત્યારે હાલતો ધોળા દહાડે ચોરી થતાં પ્રાંતિજ પોલીસ નો દિવસ દરમ્યાન પેટ્રોલિગ ઉપર પણ પાણી ફરી વળ્યું છે ત્યારે હાલતો ધોળા દહાડે ચોરી થતાં સોસાયટી સહિત નગરજનો માં ભય નો માહોલ જોવા મલ્યો છે .