Surat : કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનું બુકિંગનું ડિપોઝિટ મનપા પરત કરશે

દિવાળી બાદ લગ્નસરા સહિત અન્ય હેતુ માટે સુરત મનપાના કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનું બુકિંગ કરાનારાઓને સુરત મનપા ડિપોઝિટ પરત કરશે તેમ જણાવાયુ છે.
દિવાળી બાદ લગ્ન પ્રસંગ અને અન્ય હેતુ માટે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટનું બુકિંગ કર્યું હોય તેઓ હાલ કોરોનામાં સરકારની પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર કાર્યક્રમ કરી શકાશે. જે અરજદારો ડિસેમ્બરમાં કાર્યક્રમ કરવા ઈચ્છતા ન હોય તેઓને અરજી કરવાથી 100 ટકા ભાડા અને ડિપોઝિટની રકમ પરત કરવાની જાહેરાત પાલિકાએ કરી છે. વધુમાં કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઈ જે તે કોમ્પ્યુનિટી હોલ કોવિડ સેન્ટર તરીકે કાર્યરત છે તથા ભવિષ્યમાં જરૂરિયાત મુજબ કોમ્યુનિટી હોલને કોવિડ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર માટે ફાળવવામાં આવે તો તેવા સંજોગોમાં જે તે અરજદાર-સંસ્થાનું બુકિંગ રદ કરી તેમને 100 ટકા ભાડા અને ડીપોઝીટની રકમ પરત કરાશે.