Surat : કોરોના થી મરણ પામનાર કોરોના વોરિયરના પરિવારને 50 લાખની સહાય

સુરત નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ સુનિલ નિમાવતનું કોરોના સંક્રમણથી મોત નિપજ્યુ હોય જેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સુનિલ નિમાવતના પરિવારને સહાય પેટે ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે 50 લાખનો ચેક અર્પણ કરાયો હતો.
કોરોનાએ સુરતમાં જાણે રીતસરનો કહેર વરતાવ્યો હોય તેમ લાગી રહ્યો છે. કોરોનાની હાલ બીજી લહેર આવી છે ત્યારે અગાઉ કોરોના સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના સુનિલ નિમાવતનું કોરોના સંક્રમણને કારણે મોત નિપજ્યુ હતું. જેથી તેઓના પરિવારને સહાય મળે તે માટે નર્સિંગ સ્ટાફ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરાઈ હતી. જે રજુઆતને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના
સંક્રમણમાં મોતને ભેટનાર નર્સિંગ સ્ટાફ સુનિલ નિવાતના પરિવારને 50 લાખની સહાય કરતો ચેક આપ્યો હતો. જે ચેક ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે અર્પણ કરાયુ હતું. નર્સિંગ સ્ટાફ સુનિલ નિમાવતના મોતથી તેના પરિવાર પર આવી પડેલી મુશ્કેલીમાં આર્થિક સહાય કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક સરાહનીય કામગીરી કરી હોય લોકોએ પણ સરકારની આ નિતીને આવકારી હતી.