Surat : ગોડાદરામાં હત્યાને અંજામ આપનાર હત્યારો ઝડપાયો

ગોડાદારમાં માન સરોવર પાસે સુરજ ઉર્ફે સુર્યા ની કરાયેલી ઘાત્કી હત્યા મામલે તાત્કાલિક ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો હતો. તો સુર્યાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં થઈ હોવાનું બહાર આવ્યું છે.
રવિવારે સુરતમાં એક પછી એક ત્રણ હત્યાની ઘટના બની હતી. જેમાં રેલ્વેની હદમાં થયેલી હત્યાના આરોપીઓને નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતાં. જ્યારે ગોડાદરામાં માનસરોવર આવાસમાં રહેતા સુરજ ઉર્ફ સૂર્યા રમાશંકર ચૌધરીની રવિવારે રાત્રે આરોપી સૂર્યપ્રતાપ સીંગ ઉર્ફ ગોલુ દુર્ગાપ્રસાદ રાજપુતે ચપ્પુ મારીને હત્યા કરી હતી. જે મામલે ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. મરનાર સુરજે આરોપી સૂર્યપ્રતાપ સિંગ પાસેથી 3 હજાર રૂપિયા લીધા હતા. આરોપી તે રૂપિયા પરત માંગતો હતો. જો કે સુરજ તે રૂપિયા પરત આપતો ન હોવાથી તેની તેઓ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ આરોપીએ સુરજની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
હાલ તો સુરતમાં અન્ય ગુનાઓમાં ઘટાડો આવ્યો છે જો કે હત્યાના ગુનાઓ વધી રહ્યા હોય જેની સામે પોલીસે હવે સતર્ક થવાની તાતી જરૂર છે.