Surat : ડેન્ગ્યુ ના દર્દીની સારવારમાં ક્ષતિ કરતા દર્દીનું મોત નિપજ્યુ

વરાછા બોમ્બે માર્કેટ રોડ પર આવેલ મારૂતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલા દર્દીની સારવારમાં ક્ષતિ કરતા દર્દીનું મોત નિપજ્યું હોય જે મામલે પરિવારની ફરિયાદ લઈ તપાસ કર્યા બાદ વરાછછા પોલીસ દ્વારા હોસ્પિટલના ડોક્ટરો વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ દરી છે.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડાગામ ખાતે રહેતા પારસ વઘાસીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના સંબંધી વિરલભાઈને વરાછા બોમ્બે મર્કેટ રોડ પર આવેલ રેણુકાભવનની સામે આવેલી મારૂતી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તબીબો ડોક્ટર મહેશ નાવડીયા અને ડોક્ટર ઘનશ્યામ પટેલની બેદરકારીથી ડેન્ગ્યુ ફીવરની બરાબર દવા ન કરતા મોત નિપજ્યુ હતું. જે અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે તપાસ કર્યા બાદ હોસ્પિટલના તબીબોની બેદરકારી સામે આવતા તેઓ વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.