Surat : ભાવિન ઈન્ડસ્ટ્રીઝના પાણીના પ્લાન્ટવાળાની ઘોર બેદરકારી

ભેસ્તાન ભાવિન ઈન્ડસ્ટ્રીઝના પાણીના પ્લાન્ટમાં 25 લીટરના પાણી ભરેલા કેરબામાંથી ગરોળી નિકળતા પાણી લેનારાઓમાં નારાજગી છવાઈ જવા પામી છે. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે આવેલા ભાવિન ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 23,24 ખાતે પાણીના પ્લાન્ટમાં 25 લીટરના પાણી ભરેલા કેરબામાં ગરોળી નિકળતા પાણી લેનારા વ્યક્તિઓમાં નારાજગી છવાઈ જવા પામી છે. ન કરે નારાયણ અને જો આ પાણી પિધુ હોત તો શુ થાત તેવી દહેશતે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. ત્યારે ભાવિન ઈન્ડસ્ટ્રીઝના પાણીના પ્લાન્ટવાળાની ઘોર બેદરકારી બહાર આવવા પામી છે. ત્યારે શહેરીજનોને જણાવવાનું કે તમારે ત્યાં દુકાન કે ઘરમાં આવતા પાણીના કેરબામાં તપાસ કરવી ખાસ જરૂરી છે.