Surat : રાત્રિના નવથી સવારના છ સુધી જનતા કર્ફ્યૂ

અમદાવાદ બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં આજથી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. રાત્રિ કર્ફ્યૂ અંગે શહેર પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું છે કે, આજથી સુરતમાં રાત્રિના નવથી સવારના છ સુધી જનતા કર્ફ્યૂનો અમલ કરાશે. સાથે જ કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ઈમર્જન્સી સેવાને મુક્તિ અપાશે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ કહેવાયુ છે.
સુરત પોલીસ કમિશનરે કહ્યું કે, અત્યંત જરૂરિયાત વિના કોઈ પણ બહાર ન નીકળે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે.કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવશે.રાત્રે 9 થી 6 સુધી પોતાના રહેણાંક મકાનો બહાર નીકળવું નહીં. તેમજ શેરીઓ ગલીઓ અથવા બહાર નીકળવું નહીં.જીવન આવશ્યક સેવાને મુક્તિ આપવામાં આવી છે. ફાયર અને ઇમરજન્સી સેવાને બાકાત રાખવામાં આવી છે. તો સુરતના તમામ નાગરિકો જાહેરનામા મુજબ અમલ કરશે.પોલીસ તરફથી ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવશે.લોકોને અપીલ છે કે, તેઓ નવ વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય.મીડિયા કર્મચારીઓને આઈકાર્ડના આધારે મુક્તિ આપવામાં આવશે. રાત્રે 9 થી 6 વાગ્યા સુધી કોઈ લગ્ન રાખવાની મંજૂરી અપાશે નહી. જો જરૂરી હોય તો પોલીસ મથકમાંથી મંજૂરી લેવાની રહેશે.
સુરત પોલીસે કરફ્યુ સમયે કડક અમલ કરાવી લોકોને ઘરમાં રહેવા જણાવ્યુ હતું જો કે મોટાભાગના વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ કરફ્યુને સમર્થન કર્યુ હોય તેમ રસ્તાઓ સુમસામ ભાસતા નજરે પડ્યા હતાં.