Surat : સ્વર્ગીય નરેન્દ્ર ગાંધીના જન્મ દિને રક્તદાન શિબિર યોજાઈ

સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિની સુરતમાં જાગૃત્તિ પ્રસ્થાપિત કરનાર ભાજપના અગ્રણી નેતા સ્વર્ગીય નરેન્દ્ર ગાંધીના જન્મ દિને રક્તદાન કરી તેમને રક્તાંજલી સ્વરૂપે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
સુરતમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિની જાગૃત્તિ પ્રસ્થાપિત કરનાર, શતકવીર રક્તદાતા, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા સ્વર્ગીય નરેન્દ્ર ગાંધીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કરી તેમને ખરા અર્થમાં રક્તાંજલી સ્વરૂપે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા આ રક્તદાન કાર્યક્રમ યોજ્યો હતો. મજુરાગેટ ખાતે આવેલ દયાળજી આશ્રમમાં સંસ્કાર ભવન માં યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સુત્રને પણ સાર્થક કર્યુ હતું.
ભાજપના અગ્રણી નેતા એવા નરેન્દ્ર ગાંધીની ખરા અર્થમાં રક્તદાન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.