Vanthli : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની વંથલીમા મિટિંગ યોજાઈ

રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના રાષ્ટ્રિય કન્વિનર અને વડગામ ધારાસભ્ય 2 દિવસ જુનાગઢ જિલ્લા ના પ્રવાસે છે ત્યારે આજરોજ સવારે વંથલી ખાતે કાર્યકર્તા સંમેલન ને સંબોધ્યુ હતુ. તેના સંબોધન મા દેશ ની આઝાદી ના 70 વર્ષ પછી પણ 139 ધનાઢ્ય લોકો પાસે મોટી સંપતિ હૉય, રાજ્ય સરકાર ની મીઠી નજર હેઠળ ધનવાનો વધુ ધનવાન અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે ત્યારે આવા ધનપશુઓ ની સંપતિ પર 20 ટકા સંપતિ વેરો લગાવી આગામી 15 વર્ષ મા ગુજરાત મા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તદ્દન મફત કરવા સલાહ આપી હતી. તેમજ લોકડાઉન મા શ્રમિકો ને પડેલી મુશ્કેલીઓ બાબતે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી.
રાજ્ય મા શોષિત વર્ગ નું સંગઠન બનાવિ તેઓને પડતી મુશ્કેલીઓ ના નિરાકરણ માટે હાકલ કરી હતી.