અમદાવાદમાં વ્યક્તિએ ઘરની બાલ્કનીમાંથી સળગી 5 મા માળેથી કૂદકો માર્યો

અમદાવાદમાં વ્યક્તિએ ઘરની બાલ્કનીમાંથી સળગી 5 મા માળેથી કૂદકો માર્યો

ગુજરાતના અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે નગર નજીક સમર્પણ ટાવરના 5 મા માળેથી એક વ્યક્તિએ સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વ્યક્તિએ પહેલા પોતાની જાતને આગ લગાવી હતી અને પછી બળતરા સહન ન થતા. પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વ્યક્તિને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા જ્યાં તેઓનું મોત થયું હતું.
ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉ.વ-65) નામના વ્યક્તિએ ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી અને સળગી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. જીવતા સળગીને આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી અને ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે.