ઈશ્કોન સંસ્થાના ગુજરાતના અધ્યક્ષ જશોમતીનંદનદાસજીનું વૈકુંઠગમન

ઈશ્કોન સંસ્થાના ગુજરાતના અધ્યક્ષ જશોમતીનંદનદાસજીનું વૈકુંઠગમન

ઇસ્કોન મંદિરના ગુજરાત અધ્યક્ષ પૂજ્ય જશોમતિનંદનદાસજી 72 વર્ષની વયે વૈકુંઠધામ પામ્યાં છે. ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના પ્રસારમાં તેમનું ખુબજ મહત્વનું યોગદાન રહ્યું છે.
પૂજ્ય જશોમતિનંદનદાસજીએ ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના વિકાસ માટે યાદગારીરૂપ અનેક સદકાર્યો કર્યા છે. તેમણે ગુજરાતમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણ ભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40 થી વધુ મંદિર અને કેન્દ્રોની સ્થાપના કરાવી. તેઓ હાલ કોરોનકાળમાં કોરોના સંક્રમિત થયા હતા. બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો હતો પરંતુ અન્ય તકલીફો હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ હતા. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. શનિવારે સાંજે તેઓનું વૈકુંઠગમન થતા અનેક શ્રદ્ધાળુઓ, ભાવિકો, ઇસ્કોન સંપ્રદાયના અનુયાયીઓમાં શોક છવાયો હતો અને સાથે તેમના અનુયાયીઓ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.