રામ જન્મભૂમિ (અયોધ્યા) ખાતે રામ મંદિર નિર્માણ માટે સમગ્ર રાષ્ટ્ર માં નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે.
ત્યારે આપણા સનાતન ધર્મ ના તમામ હિંદુઓ ના આરાધ્ય દેવ એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાન ના મંદિર નિર્માણ નિધિમાં પોતાનું યોગદાન શ્રીરામ ભક્તો નિધિ સ્વરૂપે અર્પણ કરી રહ્યા છે, ત્યારે કાંકરેજ તાલુકા ના ઉંબરી ગામમાંથી શ્રી હિંગળાજ નવ-યુવક માઈ મંડળ ઉંબરી દ્વારા નિધિ એકત્રીકરણ અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં ઉંબરી ગામ ના તમામ જાતિ, જ્ઞાતી ના સર્વે શ્રી રામભક્ત મહાનુભાવો દ્વારા ઉત્સાહભેર,ભાવ પૂર્વક નિધિ સમર્પિત કરવામાં આવેલ.
નિધિ સમર્પણ માં 2,44,100 ( બે લાખ ચૂમાલીશ હજાર ) જેવી માનભર રકમ એકત્રિત કરવામાં આવેલ જે રકમ શ્રી રામ સમિતિ ના કાર્યાલય માં શ્રી હિંગળાજ નવ-યુવક માઇ મંડળ (ઉંબરી) ના સભ્યોની ઉપસ્થિતિ માં ડો. ભાવેશભાઈ દરજી ને કાર્યાલય માં શ્રી. રામેશ્વરભાઈ જોશી (ઉંબરી) ના હસ્તે સમર્પિત કરવામાં આવેલ .
ઉંબરી ગામ ના તમામ શ્રીરામ ભકત મહાનુભાવોને ધન્યવાદ આપ્યા હતા