કચ્છ : પ્રદુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતા જમીનો બંજર બની

કચ્છનાં લખપત તાલુકાના પાંધ્રો ખાતે આવેલ ક્ચ્છ લીગનાઈટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા એકમના પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે જેના કારણે આસપાસના વિસતારોમાં જમીન બંજર બની ગઈ છે.એકમો દ્વારા કેમિકલ વાળું પાણી છોડવામાં આવતા જમીનો બંજર બની છે.વરસાદ વિના ઠેરઠેર ગંદા અને પ્રદુષિત પાણીના જળાશયો ભરેલા જોવા મળે છે અવારનવાર રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને આ રજૂઆતો અથડાતી નથી.આ અંગે જીપીસીબી વિભાગ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.