ચોટીલા : જેટકો કંપનીની કામગીરી થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ચોટીલા તાલુકાનાં પીપળીયા (ઢોરા) ગામે ઝેટકો કંપની ની કામગીરી દરમિયાન ખેડૂતોના માલીકીના ખેતરોમાં વીજપોલના ખાડાઓ ગાળતા હોવાથી ગામનાં ખેડૂતો એકઠા થયા હતા.અને ખાડાઓ બાબતે  પણ જેટકો કંપનીનાં અધિકારીઓ સાથે ખેડૂતો એ વાત ચીત કર્યા બાદ પણ નિરાકરણ ન આવ્યું હોવાથી ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા ને ખેડૂતો દ્વારા રજુઆત કરાઇ હતી.જેને લઈને પીપળીયા (ઢોરા) ના ગ્રામજનો ની રજુઆત ધ્યાને લઇ ને ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તત્કાલિક પીપળીયા ગામે ઘસી ગયાં હતાં તૈયાર બાદ અમદાવાદ થી જેટકો કંપનીના એન્જિનિયરો ને બોલાવી ખેડૂતો ને પડતી મુશ્કેલી વહેલી તકે ગ્રામજનોનાં પ્રશ્નોનો ને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું જેટકો કંપની ને સુચન કર્યું હતું.