જામનગર : ભાજપનું કમળ ખીલતા વિજય સભાનું આયોજન કરાયું

જામનગર મનપાની યોજાયેલ ચૂંટણીમાં ફરી વાર ભાજપનું કમળ ખીલતા મોટી જીત મેળવી હતી. મોડી રાત્રે જામનગરના ચાંદી બજાર ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. આ વખતે ભાજપને 12 સીટોના વધારા સાથે 50 બેઠકો પર જામનગરની પ્રજાએ જંગી વિજય આપાવ્યો હતો આ વખતે સામાં પક્ષ કોંગ્રેસની 13 સીટો મતદારોએ કાપી નાખતા વિપક્ષ વધુ નબળો સાબિત થતો જોવા મળ્યો હતો. જામનગર ની જનતાએ પોતાના પક્ષમાં મુકેલા આ વિશ્વાસથી તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા વિશાળ વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ દ્વારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને જનતાએ મુકેલા વિશ્વાસને સાર્થક કરવાનું વચન આપ્યું હતું. ભાજપે જંગી જીત મેળવી છે અને હવે ફરીવાર સત્તામાં ભગવો લેહરાશે ત્યારે ચારેય તરફ પક્ષમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો જયશ્રી રામ ભારત માતાકી જય સાથેના જયઘોષ સાથે લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા.