જામનગર : મનપાની ચૂંટણી પૂર્ણ થતાં ફરી ભગવો લહેરાતા કમળ ખીલી ઉઠ્યું

રાજ્યમાં મનપા ચૂંટણી યોજાઈ હતી અને તમામ વિવિધ પક્ષોના ઉમેદવારોનું ભાવિ ઇવીએમ માં કેદ થયું હતું જેના પરિણામે જામનગર શહેરની હરિયા કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી. સવાર થી જ હરિયા કોલેજ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ ઇવીએમ ખોલવામાં આવ્યા હતા.  મુખ્ય દ્વાર ખાતે કોવિડ 19 નું ચુસ્ત પાલન કરતા તમામ લોકોને થર્મલ ગન, સેનેટાઇઝર તેમજ માસ્ક લગાવી અંદર પ્રવેશ કરવામાં આવ્યા હતા. સવારથી જ કોલેજની બહાર વિવિધ પક્ષના કાર્યકરોનો ઘસારો જોવા મળ્યો હતો. 9 વાગતા આસપાસ જ તમામ ચૂંટણી અધિકારીઓ જે તે.પક્ષના ગણતરીના સ્ટાફ પોલીસ સૌ સજ્જ બન્યા હતા. મતગણના શરૂ થાય તે પહેલાં જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને તમામ બાબતને સ્વાજતે તપાસી હતી અને શાંતિપૂર્ણ રીતે મતગણનાની શરૂઆત કરવામાં આવી હતી...