ડભોઇ : પી.એચ.સી.સેન્ટર ખાતે ઓક્સીજન કોન્સ્ટ્રેટર્સનું વર્ચુયલ લોકાર્પણ

હાલ જ્યારે કોરોના મહામારી માં દર્દીઓ ને ઑક્સીજન ની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશન અને કેટલાક દાતાનો ના સહકાર થી ડભોઇ રેફફરલ હોસ્પિટલ ખાતે રૂ.20 લાખ ના ખર્ચે 1 ટન ઑક્સીજન પ્લાન્ટ, સાથે જ ધારાસભ્ય ની ગ્રાન્ટ માથી નગર અને તાલુકામાટે 2 એબ્યુલન્સ, સાથે જ તાલુકા ના વિવિધ પી.એચ.સી.સેન્ટરો ખાતે 12 જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટર્સ નું વર્ક્યુયલ લોકાર્પણ ભાજપ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ સી.આર.પાટીલ ના ઉદઘાટક પડે ડભોઇ આર્ટસ સાયન્સ કોલેજ ના સેમિનાર હૉલ ખાતે રાખવામા આવ્યું હતું આ પ્રસંગે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન ના શ્રી વ્રજરાજકુમારજે મહોદય ખાસ ઉપસ્થીત રહ્યા હતા.
કોરોના મહામારી ની આગામી ત્રીજી લહેર ને પહોચી વડવા રાજ્ય સરકાર ના આદેશ થી દરેક તાલુકા અને ગામો માં તમામ મેડીકલ સુવીધાઓ મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ કરવા આદેશ કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ ડભોઇ નગર માં વધતા કોરોના કેશો અને ઑક્સીજન ની માંગ સાથે જ એમ્બુલન્સ ની માંગ સામે લોકાર્પણ અને ભૂમીપૂજન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની વર્ચ્યુયલ હાજરી માં વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશન ના સાહિયોગ થી તેમજ મુખ્યાત દાતા દીપેનભાઈ અને શોબનાબેન સતદેવ દ્વારા ડભોઇ નગર અને તાલુકા ની પ્રજા ને ઑક્સીજન ની અછત પૂરી પાડવા માટે 1 ટન ઑક્સીજન પ્લાન્ટ રેફરલ હોસ્પિટલ ખાતે તૈયાર થનાર છે જેનું આજ રોજ શ્રી વલલાભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરી માં ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ધારાસભ્ય શૈલેષભાઈ ની ગ્રાન્ટ માથી બે એમ્બ્યુલન્સ રૂ.14 લાખ ના ખર્ચે ખરીદેલ નું લોકાર્પણ સાથે સાથે મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ ના પી.એચ.સી.સેન્ટરો માટે 12 જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટર નું પણ લોકાપરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, પરિમલ નાથવાનીજી, સહિત પૂ.પા.ગો.108 વ્રજરાજકુમાર મહોદય સહિત ભાજપ કાર્યકરો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટલે, ડો.સંદીપ શાહ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નગર ને મળેલ ઑક્સીજન પ્લાન્ટ સહિત ની સુવીધાઓ થી તાલુકા અને નગર ના લોકો માં આનંદ ની લાગણી પ્રશરી હતી.