ડભોઇ : પૌરાણીક કોટેશ્વર શિવાલય ખાતે 10માં પાટોત્સવની ઉજવણી કરાઈ

ડભોઇ ગાંધીશેરી ખાતે આવેલ પૌરાણીક કોટેશ્વર શિવાલય ખાતે 10માં પાટોત્સવ નિમિત્તે વિસ્તાર ના યુવકો દ્વારા ભજન અને 108 દીપ ની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારે ઉત્સાહ પૂર્વક પાટોત્સવ ની ઉજવણી કરી હતી.
ડભોઇ ગાંધીશેરી ખાતે પૌરાણીક કોટેશ્વર શિવ મંદિર આવેલ છે આ મંદિર આ વિસ્તાર ના લોકો માટે ભારે આસ્થાનું કેન્દ્ર હોય શિવ મંદિરે રોજે રોજ શેવા પૂજા સાથે આરતી કરતાં આવ્યા છે મંદિર જીર્ણોધ્ધર ને 10 વર્ષ પૂર્ણ થતાં આ વિસ્તાર ના યુવાનો દ્વારા 10માં પાટોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી સાથે સાથે વહેલી સવાર થી જ ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું તો સાંજે ભગવાન ભોળાનાથ ના ભજન અને 108 દીપ ની મહાઆરતી આ વિસ્તાર ના યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને ભારે ઉત્સાહ સાથે પાટોત્સવ ની ઉજવણી કરી હતી.