નવસારી : ઇટાળવા બી.આર.સી ભવન ખાતે શિક્ષકો માટે ફેરબદલી કેમ્પ યોજાયો

નવસારી જીલાલમાં આજ રોજ ઇટાળવા બી.આર.સી ભવન ખાતે શિક્ષકો માટે જીલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરાયું જેમાં અન્ય જીલ્લાઓ માંથી નવસારી આવવા માંગ શિક્ષકોની ફેરબદલી માટે કેમ્પ યોજાયો.
દર વર્ષે શિક્ષકો માટે જીલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ આ કેમ્પ યોજાયો હતો. અન્ય શહેરમાં નોકરી કરતા શિક્ષકો નવસારી જીલ્લામાં આવવા માંગતા હોય તેમની અરજીઓના આધારે કુલ જગ્યાઓના ૪૦ ટકા જગ્યામાં સિનીયોરીટીના આધારે બદલી કરવામાં આવતી હોય છે.જેમાં નવસારી જીલ્લામાં ૧ થી ૫ ધોરણમાં જગ્યા નથી પરંતુ ૬ થી ૮ ધોરણના શિક્ષકોની ૧૧૦ જેટલી જગ્યા છે જેના આધારે ૪૪ જેટલા શિક્ષકોને અન્ય જિલ્લાઓ માંથી નવસારી જીલ્લામાં સેવા આપવા આવાનો લાભ મળશે જે અંગે આજ રોજ નવસારી ઇટાળવા ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો