પંચમહાલ : ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે અંતિમ ચૂંટણી સભા સંબોધી

ચુંટણી પ્રચારના અંતિમ દિવસે શહેરા નગરમાં યોજાયેલ ચૂંટણી સભામાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે અપક્ષના ઉમેદવારો પર આકરા પ્રહાર કર્યા હતા.
શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને અપક્ષના ઉમેદવાર મેદાનમાં છે અને કોંગ્રેસ નો એકપણ ઉમેદવાર મેદાનમાં નથી ત્યારે આજરોજ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે શહેરા નગરના હોળી ચકલા બજારમાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે અંતિમ ચૂંટણી સભા સંબોધી હતી,ચૂંટણી સભા સંબોધતા અપક્ષના ઉમેદવારોને નિશાન બનાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે બહુ "તીસમાર ખા" ની વાતો કરતા હતા તો પંજાના નીશાન ઉપર તો ચુંટણી લડવી હતી તમે તો પંજો જ ખોઈ નાખ્યો અને અપક્ષમાં ઉભા થઈ ગયા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તમને હવે પંજાનું નામ લેવામા શરમ આવતી હોય તો લોકો તમને વૉટ ક્યાંથી આપવાના એની તો ચિંતા કરો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શહેરા નગરપાલિકામાં કમળથી એટલી ગભરામણ થઈ કે પંજો ભાગી ગયો તેમ કહી ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે અંતિમ ચૂંટણી સભામાં અપક્ષના ઉમેદવારો પર આકરા પ્રહારો કર્યા હતા.