પ્રાંતિજ : પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા આયોજીત પરિવાર કલ્યાણ નિધી યોજના અંતર્ગત મંડળ ના ચાર ના સમયાંતરે થયેલ અવસાન થતા તેમના પરિવારજનોને શ્રધ્ધાંજલી સાથે ચેક અર્પણ કરવામા આવ્યા હતા.
પ્રાંતિજ શહેરમા કાર્યરત સિનિયર સીટીઝન મંડળ દ્રારા તાજેતરમા મંડળના સભ્યો પૈકી ચાર સભ્યો ના સમયાંતરે દુ:ખદ અવસાન થતા આ મંડળ આયોજીત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત તેમના ધરે જઇ ને પરિવારજનોને રૂપિયા ૧૧,૦૦૦ ના ચેક અર્પણ કરવામા આવ્યા હતા પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ ના અગ્રણીઓ શરદચંદ્ર પરીખ , શર્મિષ્ઠાબેન ખમાર , ધનજીભાઇ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને મૃતકો ના પરિવારજનોને સાંત્વના આપીને યોજનામા જોડાયેલા સભ્યો પૈકીના મૃતકોના પરિવાર ને શોક ઠરાવ સાથે રૂપિયા-૧૧હજાર ના ચેકો આપવામા આવ્યા હતા .કોરોના મહામારી ના સમયે સીનીયર સીટીઝન્સ પરિવાર કલ્યાણ નિધી મા જોડાયેલા મનુભાઇ સુખદેવ પ્રસાદ સાધુ , અરૂણકુમાર પુરુષોત્તમદાસ ખમાર , ગીતાબેન વિનુભાઇ મોદી તેમજ શાંતાબેન કાન્તિભાઇ પટેલ નાં દુખદ અવસાન થયા હતા આ ચારેય સભ્યો મંડળ ની યોજનામા જોડાયેલા હતા આ તમામ સભ્યોનુ બીમારીમાં સ્વાસ્થ્ય બગડતા અવસાન થયુ હતુ પ્રાંતિજ સીનીયર સીટીઝન ના સેવાભાવી હોદ્દેદારો દ્રારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ કલ્યાણ કારી યોજના ઓની સમગ્ર પંથક મા સરાહના થઈ રહી છે .