ભરૂચ : DGVCL તેમજ JETCO કર્મચારીઓ માટે કોરોના વેક્સિન કાર્યક્રમ યોજાયો

કોરોના મહામારી કારણે સમગ્ર વિશ્વ ની સાથે ભારતમાં તેની ગંભીર અસર જોવા મળી રહી છે ત્યારે આપના દેશના અનેક રાજ્યોમાં અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી વેક્સિન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ફ્રન્ટલાઈન વોરિયર તેમજ સરકારી કર્મચારીઓને વેક્સિન પ્રક્રિયા કાર્યક્રમ ચાલી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ મકતમપુર સ્થિત આવેલ ગુજરાત વીજ કંપની દ્વારા તેઓના ડી.જી.વી.સી.એલ. તેમજ જેટકો કર્મચારીઓ માટે વેક્સિન કાર્યક્રમ યોજાયો હતો આ વેક્સિન કાર્યક્રમ માં ડી.જી.વી.સી.એલ.કર્મચારી તેમજ જેટકોના કુલ 400 જેટલા કર્મચારીને વેક્સિન આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર તરફથી હાલ ચાલી રહેલ પૂર્વ વ્યક્તિ અભિયાનમાં સર્વે વેક્સિન મુકાવે અને વેક્સિન અભિયાનમાં જોડાઈએ અને ગુજરાતી સાથે ભરૂચને પણ કોરોના મુક્ત કરીએ તેવી ડી.જી.વી.સી.એલ. અધિકારી પ્રજાપતિ સાહેબ એ આશા વ્યક્ત કરી હતી