ભરૂચ : પોલીસનો મીની લોકડાઉનના નોટિફિકેશન અંગે જનજાગૃતિનો પ્રયાસ

ભરૂચમાં વકરતા જતા કોરોના સંક્રમણ ને નાથવા લાદવામાં આવેલ મીની લોકડાઉન અંગે જનજાગૃતિ પ્રસરાવવા પબ્લિક એનાઉન્સમેન્ટ સાથે પોલીસ વાહનો સાથે ભરૂચ ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ડી.વાય.એસ.પી. ભોજાણી પોતે પોલીસ વાન માં સવાર થઈ સરકારના નોટિફિકેશન અંગે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી ને પ્રજાજનો ને કોરોના ગાઈડલાઈન અને નોટિફિકેશન ના પાલન અંગે અપીલ કરવા માં આવી રહી હતી. ભરૂચ ના ઝાડેશ્વર થી લઈ વિવિધ વિસ્તારો માં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ વાહનો અને બાઇક સાથે ફ્લેગ માર્ચ યોજી જન જાગૃતિ નો પ્રયાસ કરાયો હતો.
વધતા કોરોના સંક્રમણ ને નાથવાની તંત્ર ના આ પ્રયાસ ને સફળ બનાવવા લોકો પૂરો સહકાર આપે તે જરૂરી છે.