મોરબી : સ્થાનિક સ્વરાજની ચુંટણીના પ્રચાર પડધમ શાંત થયા

મોરબી સ્થાનિક સ્વરાજની ચુંટણીના પ્રચાર પડધમ શાંત થયા છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારો પૂર્ણ કરી દેવામાં આવી છે.જીલ્લા અધિક કલેકટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્ર દ્વવારા સ્થાનિક સ્વરાજની ચુંટણીની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તો પોલીસ વિભાગ દ્વવારા પણ અસમાજિક તત્વો સામે પાસા સહિતની કાર્યવાહી કરી છે તો પ્રીહીબીષણ સહિતના કેસ કરવામાં આવ્યા છે અને પેટ્રોલિંગમાં વધારી દેવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચુંટણી શાંતિમય વાતાવરણમાં થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે