મહુવા : સેવાભાવી લોકો દ્વારા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ

મહુવા ના સેવાભાવી લોકો દ્વારા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટો તેમજ જીવન જરુરી સામગ્રી મોકલવામાં આવી
સૌરાષ્ટ્ર પંથકમાં તૌકતે વાવાઝોડાએ તબાહી સર્જી દેતા લોકોના મકાનો ના પતરા તેમજ દિવાલો ધરાશાય થતાં લોકોની ઘરની સામગ્રી તહસનહસ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમને મદદ રુપ થવા મહુવા ના સેવાભાવી લોકો તેમજ ગ્રુપો દ્રારા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં નાત જાત ધર્મ જોયા વગર આવી કુદરતી આફતમાં તમામ જીવન જરુરીયાત ચિજવસ્તુઓ પહોંચાડીને મદદ રૂપ થયાં છે.
મહુવા ના હિન્દુ મુસ્લિમ સહિત ના લોકોએ કોમી એકતા દાખવીને થી ઘરે ઘરે થી જીવન સામગ્રી ચીજવસ્તુઓ એકઠી કરી તેમજ સેવાભાવી ગ્રુપો તેમજ દાતાશ્રી ના સહકારથી રાજુલા જાફરાબાદ ઉના સહિતના આસપાસના ગ્રામ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની બોટલો, અનાજ, કરીયાણુ, લોટ, કપડા, ગોદડાં, સહિત ની જરુરીયાત વસ્તુ ટ્રકો મારફતે મોકલીને મદદ રૂપ થઈ અને માનવ સેવા કરી રહ્યા છે