મહીસાગર : કતલના ઈરાદે લઈ જવાતા ગૌવંશને ઝડપી પાડવામાં આવ્યા

લુણાવાડા તાલુકાના વિરણીયા થી શહેરા જતા રોડ પર ચાલતા કતલના ઈરાદે લઈ જવાતા ગોવંશને ઝડપી પાડવામાં આવ્યા હતા.અને ગોવંશને ઝડપી પાડીને ગોધરા પોજરાપોલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડા થી ગોધરા જતા હાઈવે પર વિરણીયાની પાસે ચાલતા ર ગોવંશને કતલના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા હતા.જેની જાણે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના શિવસેનાના પ્રમુખ લાલાભાઈ ગઢવીને અંગત રીતે જાણ થતા તેઓ વિરણીયા પાસે બે ગોવંશોને લઈને જતા ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતા .જયારે તેને પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ ન મળતા તેઓ તાત્કાલિક મહીસાગર જિલ્લાના પોલીસ કમૅચારીઓ જાણ કરવામાં આવી હતી.આમ મહીસાગર જિલ્લાની પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા .આરોપીઓ ને પણ ઝડપી લીધા હતાં.વધુ તપાસ કરતા કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ ન મળતા ગોવંશને ગોધરા પોજરાપોલ ખાતે મોકલી આપવાં આવ્યા હતા.
આમ ,મહીસાગર અને પંચમહાલના શિવ સેનાના પ્રમુખ દ્વારા કતલના ઈરાદે લઈ જવાતા બે અબોલ ગોવંશના જીવને બચાવી લેવામાં આવ્યા હતા.અને ગોધરા પોજરાપોર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા