શહેરા : મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ બંધ રાખવા રજુઆત કરાઈ

શહેરા તાલુકા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા મધ્યાહન ભોજન યોજનાના અનાજ વિતારણને હાલ સ્થગિત રાખવા કરાઈ રજુઆત
સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ગત નવેમ્બર થી માર્ચ 2021 સુધીનું મધ્યાહન ભોજન યોજનાનું અનાજ તેમના ઘરે આપવા માટે સરકાર દ્વારા કરાયો છે આદેશ
હાલની કોરોનાની પરિસ્થિતિને જોતા બાળકો તેમના પરિવાર તેમજ શિક્ષકો અને તેમના પરિવાર માટે હાલ આ અનાજ વિતરણ જોખમી સાબિત થઈ શકે તેમ હોઈ હાલ પૂરતું વિતરણ સ્થગિત રાખવા કરાઈ લેખિત રજુઆત
શહેરા મામલતદારને લેખિત રજુઆત કરી મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ બંધ રાખવા કરાઈ માંગ