સુરત : પાંડેસરામાં આધેડ પર અજાણ્યાએ તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

પાંડેસરા ખાતે આવેલ પોલીસ કોલોનીમાં બંધ પડેલ બી.ડબ્લ્યુ.ડી. બિલ્ડીંગ પાસે શૌચક્રિયા કરી રહેલા આધેડ પર અજાણ્યાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ કર્મયોગી સોસાયટીમાં રહેતા શાલીની બાટેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના પિતા નારાયણ બાટે પાંડેસરા ખાતે આવેલ પોલીસ કોલોનીમાં બંધ પડેલ બી.ડબ્લ્યુ.ડી. બિલ્ડીંગ પાસે શૌચક્રિયા કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા તેઓને પાછળથી મોઢાના ભાગે તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભાગી છુટ્યો હતો. હાલ તો બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.