સુરત : માણકી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ ચોરી કરી ફરાર

સરથાણા ખાતે આવેલ શ્યામધામ ચોક હરેક્રિષ્ન સોસાયટીના માણકી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ 1 લાખની સોનાની ચેઈન તોડી ગઈ હોવાની ફરિયા દનોંધાવવા પામી છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતે આવેલ પાર્વતિનગર સોસાયટીમાં રહેતા સંજય ત્રાડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ શ્યામધામ ચોક હરેક્રિષ્ન સોસાયટીમાં માણકી જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે અને તેઓની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ તેમની અને સ્ટાફની નજર ચુકવી 1 લાખની કિંમતની સોનાની ચેઈનની ચોરી કરી ભાગી છુટી હતી. હાલ તો બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.