સુરત : વેડરોડ રિવરપાર્ક સોસાયટીના મકાનમાં આગ લાગતા ભાગદોડ મચી

વેડરોડ રિવરપાર્ક સોસાયટીના મકાનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. મકાનમાં આવેલ મંદિરમાં અગરબત્તી કરતા તણખા ઉડતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. બનાવને લઈ ફાયરે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
ફાયર સુત્રો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ વેડરોડ ખાતે આવેલ રિવર પાર્ક સોસાયટીના મકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગ લાગવાનું પ્રાથમિક તારણ એવુ સામે આવ્યુ હતું કે ઘરમાં આવેલ મંદિરમાં અગરબત્તી કરતા તણખા ઉડતા આગ લાગી હતી. મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવ્યો હતો.