સુરત : વેપારી પાસેથી લાખોનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ આચરી ઠગાઈ

રીંગરોડ ખાતે આવેલ ગોલવાલા માર્કેટના વેપારી પાસેથી લાખોનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર ઉત્તરાખંડની ઠગ ટોળકી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર રોડ ખાતે આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા રમેશ રાઠોડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ રીંગરોડ ખાતે આવેલ ગોલવાલા માર્કેટમાં દુકાન ધરાવે છે અને તેઓની દુકાનેથી ઉત્તરાખંડના ઠગ વેપારીઓ જેમાં બેબીદેવી, લોકેન્દ્રકુમાર, પ્રવિણકુમાર, રવિન્દ્ર કુમાર અને વેદસિંઘ સહિતનાઓએ વિશ્વાસ અને ભરોસો અપાવી તેઓ પાસેથી 13 લાખ 18 હજારથી વધુનો સાડીનો માલ ઉધારીમાં લઈ ઝઈ 45 થી 60 દિવસમાં પેમેન્ટ કરી દેવાની વાત કરી આજદિન સુધી રૂપિયા ન આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.